કલ્યાણપુરઃ સંજયલીલા ભંસાળીની ફિલ્મ પદ્માવત 25 જાન્યુઆરીએ રિલીઝ પણ થઈ ગઈ અને લોકો તેની પ્રશંસા પણ કરી રહ્યા છે. પરંતુ ફિલ્મને લઈને વકરેલો વિવાદ હજૂ થમ્યો નથી. એક તરફ લોકો ફિલ્મની પ્રશંસા કરી રહ્યા છે.
તો બીજી તરફ રાજપૂત સંગઠનો ફિલ્મનો વિરોધ કરી રહ્યા છે. તેવામાં મહારાષ્ટ્રના થાણે જિલ્લાના કલ્યાણપુરમાં થિયેટરની બહાર પેટ્રોલ બોમ્બ ફેકાયાની ઘટના સામે આવી છે. કેટલાક અજ્ઞાત શખ્સોએ પેટ્રોલ બોમ્બ ફેંકી હિંસા ભડકાવવાની કોશિશ કરી હતી.
પરંતુ આ ઘટનામાં કોઈ લોકો ઘાયલ થયા ન હતા. આ સમગ્ર ઘટનાના CCTV પણ સામે આવ્યા છે. જેમાં સ્પાષ્ટ જોઈ શકાય છે કે બે શખ્સો કેવી રીતે થિયેટરની બહાર રસ્તા પર પેટ્રોલ બોમ ફેંકે છે. જોત જોતામાં બ્લાસ્ટ પણ થાય છે.
જોકે સમગ્ર ઘટના અંગે જાણ થતા જ પોલીસ કાફલો પણ ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો. CCTVના આધારે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.