પાલનપુરમાં પતંગ ચગાવવા બાબતે યુવકની હત્યા કરવામાં આવી હતી. પાલનપુરના હરિપુરા વિસ્તારમાં પતંગ ચગાવવાની બાબતે બાવરી ડેરામાં યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો. 10 શખ્સોએ 22 વર્ષિય યુવક પર છરી વડે હુમલો કર્યો હતો. પોલીસે આ હત્યા મામલે તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે ગઇકાલે સમગ્ર રાજ્યમાં મકરસંક્રાંતિની ઉજવણી હર્ષોલ્લાસ પુર્વક કરવામાં આવી રહી હતી ત્યારે પાલનપુરના હરિપુરા વિસ્તારમાં પતંગ ચગાવવા આવ્યો હતો.ત્યાં કેટલાક અજાણ્યા શખ્સો સાથે બોલાચાલી થતાં તે લોકોએ યુવાન પર હુમલો કર્યો હતો જેમાં યુવાનને વધુ ઇજા થતાં તેનુ મોત થયું હતું.