કરાચીઃ પાકિસ્તાને છેલ્લાં 5 વર્ષમાં ઓછામાં ઓછા 298 ભારતીય પ્રવાસીઓને નાગરિકતા આપી છે. પાકિસ્તાનના ગૃહ મંત્રાલયના આંકડાઓ અનુસાર વર્ષ 2012થી લઇને 14 એપ્રિલ 2017 સુધી કુલ 298 ભારતીયોને પાકિસ્તાનની નાગરિકતા મળી છે. મંત્રાલયે પાકિસ્તાનના શાસક પક્ષ PML-Nના સાંસદ શેખ રૂહેલ અસગરે સંસદમાં પૂછેલા એક સવાલના જવાબમાં આ માહિતી આપી છે.
મંત્રાલયના નિવેદનમાં જણાવાયું છે કે વર્ષ 2012માં 48 ભારતીયોને પાકિસ્તાનની નાગરિકતા આપવામાં આવી. 2013માં 75 અને 2014માં 76ને નાગરિકતા મળી છે. વર્ષ 2015માં માત્ર 15 ભારતીયોને પાકિસ્તાનની નાગરિકતા આપવામાં આવી છે જ્યારે 2016માં 69 લોકોને. આ વર્ષે 14 એપ્રિલ સુધી 15 ભારતીય પ્રવાસીઓને પાકિસ્તાને નાગરિકતા આપી છે.