ભારત અને પાકિસ્તાન બોર્ડર પર વધતી તણાવગ્રસ્ત સ્થિતિને ઘટાડવા માટે પાકિસ્તાન ચાર વર્ષ બાદ ફરી એકવાર ભારત સાથે DGMO સ્તરની બેઠકના પ્રસ્તાવ પર વિચાર કરી રહ્યું છે.
ખાનગી મીડિયાના રિપોર્ટ મુજબ આ બેઠકમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે વિશ્વાસ યથાવત્ રાખવા મુદ્દે વાતચીત થઈ શકે છે.આ રિપોર્ટ એવા સમયે આવ્યો છે.
જ્યારે પાકિસ્તાને એક દિવસ પૂર્વે જ LoC પર ભારતીય જવાનોની ફાયરિંગમાં 4 સૈનિકના મોત અને 5 ઘાયલ થયાનું સ્વીકાર્યું હતું.જોકે ભારતીય સેનાએ જવાબી ફાયરિંગમાં 7 સૈનિકને ઠાર માર્યા હોવાનું જણાવ્યું હતું.
ડૉનના રિપોર્ટમા જણાવ્યા મુજબ પાકિસ્તાનમાં રક્ષા મંત્રાલયે એક અધિકારીને સેનેટ ડિફેન્સ કિમીટીને જણાવ્યું હતું કે ડીજીએમઓની બેઠકમાં એક પ્રસ્વાત પર વિચાર કરવામાં આવી શકે છે.
મહત્વનું છે કે આ પૂર્વે પણ DGMO વચ્ચે ફોન પર વાતચીત થઈ હતી.જેમાં સંભવિત બેઠકમાં વિશ્વાસ યથાવત્ રાખવાના ઉપાય પર વાતચીત કરવામાં આવી શકે છે.