સુરેન્દ્રનગરઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો રાજકીય માહોલ જામ્યો છે. ત્યારે ક્ષત્રિય મતદારોને આકર્ષવા માટે ભાજપે ફિલ્મ પદ્માવતીનો વિરોધ કરવાનું નક્કી કર્યું છે. ભાજપના કાર્યકરો પદ્માવતી ફિલ્માનો વિરોધ કરશે. ભાજપ ચૂંટણી કમિશનરને લખશે પત્ર અને ફિલ્મ રિલિઝ પર પ્રતિબંધની માગણી કરશે. તો આ મામલે ભાજપના પ્રદેશ પ્રવક્તા આઈ.કે.જાડેજાએ જણાવ્યું કે ફિલ્મ દ્વારા ઈતિહાસને મરોડવાનું કામ કામ કરાયું છે.
ઉલ્લેખનીય છે કે સંજયલીલા ભણસાલીની ફિલ્મનો દેશભરમાંથી વિરોધ થઇ રહ્યો છે અને ક્ષત્રિય-રાજપૂત સમાજ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી અને ફિલ્મ પદ્માવતી બન્ને નજીક આવી રહ્યા છે. ત્યારે ભાજપ દ્વારા ક્ષત્રિય મતદારોને આકર્ષવા ફિલ્મ પદ્માવતીનો વિરોધ કરવાનું નક્કી કર્યું છે.