વેપારીઓ દ્વારા જી.એસ.ટીનો વિરોધ કરાઈ રહ્યો છે. ત્યારે જામનગરમાં પણ વેપારીઓ દ્વારા રામધૂન બોલાવી વિરોધ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનિય છે કે વેપારીઓને જી.એસ.ટી મુદ્દે સમજ આપવા સેમીનારના આયોજનો થઈ રહ્યા છે.
જેના ભાગરૂપે વેટ કચેરી ભાવનગરમાં પણ આ સેમિનાર યોજાયો હતો પરંતુ વેપારીઓના સવાલોના જવાબ અધિકારીઓ સંતોષકારક ન આપી શકતા વેપારીઓ રોષે ભરાયા હતા અને ધરણા પર બેસી ગયા હતા..આ તમામ વેપારીઓએ રામધૂન બોલાવી વિરોધ કર્યો હતો.