નવી દિલ્હી: સુપ્રીમ વિવાદ વચ્ચે જસ્ટિસ લોયા કેસને લઈને મોટો વળાંક આવ્યો છે. જસ્ટિસ લોયાનો પુત્ર અનુજ લોયા મીડિયા સામે આવ્યો છે. 2014 બાદ આ પહેલીવાર છે જ્યારે લોયા પરિવારે આ મુદ્દે મૌન તોડયું છે.
જો કે અનુજ લોયાએ જે નિવેદન આપ્યું છે તે આ કેસ સામે સવાલો ઉઠાવનારાઓ માટે ચોંકવનારું છે. અનુજ લોયાએ કહ્યું કે છેલ્લા દિવસોમાં જે પણ બન્યું તેનાથી સમગ્ર પરિવાર આહત છે. અને તેઓ ખૂબ દુખી છે. વધુમાં અનુજે કહ્યું કે સમગ્ર ઘટનાક્રમને લઈને તેમના પરિવારને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અનુજે મીડિયા સમક્ષ આ સમગ્ર વિવાદ મામલે તેના પરિવારને દૂર રાખવાની અપીલ કરી છે.
આપને જણાવી દઈએ કે જસ્ટિલ લોયા સોહરાબુદ્દીન કેસની સુનાવણી કરી રહ્યા હતા. 2014માં પુણે નજીક એક લગ્ન સમારોહમાં હાજરી આપવા ગયા એ સમયે તેનું શંકાસ્પદ મોત થયું હતું. તેમની મોતને લઈને અનેક સવાલો ઉઠયા હતા. સુપ્રીમના ચાર નારાજ જજે પણ જસ્ટિલ લોયા કેસ મુદ્દે CJI સામે નારાજગી દર્શાવી છે.