દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશમાં ડિજિટલ ક્રાંતિ લાવી દેશને સફળતાની ઉંચાઈ પર લઇ જવા માંગે છે. ડિજિટાઇઝેશન થકી આજે મોટા ભાગના કામો સરળ અને ઝડપી થઇ રહયા છે. જોકે વલસાડ જિલ્લા ના અંતરિયાળ આદિવાસીઓ માટે સરકાર ની આ ડિજિટલ ક્રાંતિ અભિશાપ સાબિત થઇ રહી છે. ડીમોનિટાઇઝિંગ બાદ મહારાષ્ટ્રની હદ પર આવેલા સુથાર પાડા પંથકના 32 ગામોના ગરીબ આદિવાસી નું જીવન દુભર બની ગયું છે.લોકો ના જીવન માં તેજી લાવનાર ડિજિટલ ક્રાંતિ અહીંના આદિવાસી શા માટે શાપિત થઇ છે.
જિલ્લા ના મુખ્ય મથક વલસાડ થી 85 કિલોમીટર દૂર છે. અહીંના આદિવાસી લોકો ખેતી અને મજૂરી કરી ને જીવન ગુજારે છે. સુખનો રોટલો ખાતા આ લોકો ના જીવન હાલે પારાવાર મુશ્કેલીઓ આવી છે. છેલ્લા 8 મહિનાથી 32 ગામ વચ્ચે આવેલ બરોડા ગુજરાત ગ્રામીણ બેંકે આ આદિવાસીઓ ના જીવન માં મુશ્કેલિઓ લાવી છે.નોટબંધી બાદ જૂની 500 અને હજારની નોટ આ બેન્કમાં જમા કરાવનાર ખાતેદારો ને પોતાના નાણા પાછા લેવા ભારે મથામણ કરવી પડે છે..નવેમ્બરમાં દેશમાં દરેક બેન્ક ની સામે મોટી ભીડ જોવા મળતી હતી. જોકે સમય વીતતા બેન્ક પર ભારણ ઘટતા હવે ખાતેદારો ને સરળતા થી પોતાના ખાતા માંથી રૂપિયા મળી જાય છે.જોકે સુથારપાડા પંથક માં આવેલ 32 હજાર ખાતેદારો પોતાના ખાતા માંથી નજીવી રકમ ઉપાડવા ભારે હાલાકી ભોગવી રહયા છે.
સુથારપાડા માં આવેલ બરોડા ગુજરાત ગ્રામીણ બેંક સામે સવારે 4 વાગ્યા થી ગરીબ આદિવાસીઓ લાઈન લગાવી ઉભા રહે છે અને આશા રાખે જે આજે કદાચ તેમનો નંબર આવે અને ખાતા માંથી રૂપિયા મળી જાય.અપંગ વૃદ્ધ અને શાળા ના વિદ્યાર્થીઓ ની હાલત સૌથી વધારે કફોડી બની છે.લાંબી લચક લાઈનો માં કલાકો ભૂખ્યા અને તરસ્યા ઉભા રહેતા આ લોકો અનેકવાર બેભાન પણ થાય છે.અગાઉ વિધવા પેન્શન જેવી સરકારી યોજના ના રૂપિયા પોસ્ટમેન ઘરે આવી ને આપી જતો હતો .તો વિદ્યાર્થીઓ ને શિષ્ય્વ્રુત્તીના નાણાં શાળામાંથી મળી જતા પણ હવે ડિજિટલ ક્રાંતિ એ તમામ ને બેન્ક ની બહાર ભિખારી બનાવી દીધા છે.
સ્થાનિક લોકો ની રજૂઆત બાદ ધારાસભ્ય જીતુ ચૌધરી એ પણ રૂબરૂ મુલાકાત લઇ લોકો ની મુશ્કેલીઓ સાંભળી હતી અને તાત્કાલિક બેન્કિંગ માટે મોબાઈલ વેન અથવા અન્ય કોઈ બેન્ક ની શાખા શરુ કરવા માંગ કરી છે.આ મામલે બેન્ક ના મેનેજર પણ સ્વીકારે છે કે બેન્ક ના 32 હજાર ખાતેદારમાંથી રોજ 500 થી 700 ખાતેદાર બેન્ક ના ધક્કા ખાઈ રહયા છે પણ માત્ર 10 ટકા લોકો ને જ રૂપિયા મળી રહયા છે.નેટનું સર્વર વારંવાર ડાઉન થઇ જતા આ મુશ્કેલી ઉભી થઇ રહી છે.તો બેન્કમાં માત્ર બે કર્મચારી હોવાથી લોકો ના કામ અટવાયા છે.
માત્ર નેટ ની સ્લો કનેક્ટિવિટી ને કારણે 32 ગામ ના ગરીબ આદિવાસી છેલ્લા 8 માસ થી બેન્ક પર ધર્મના ધક્કા ખાઈ રહયા છે.પોતાના જ રૂપિયા મુસીબત ના સમયે ન વાપરી શકનાર લોકો માટે ડિજિટલ ક્રાંતિ અભિશાપ સાબિત થઇ રહી છે.ત્યારે ડિજિટલ ઇન્ડિયા ની બડાઈ હાંકનાર સરકાર ખરેખર આ ગરીબ અને અભણ આદિવાસીઓ માટે તાત્કાલિક કોઈ નક્કર પગલાં લે તેવી માંગ તીવ્ર બની છે.