મુંબઇ: મુંબઇમાં શુક્રવારે પરેલ અને એલફિંસ્ટન રેલવે સ્ટેશનની વચ્ચે બનેલા ફુટઓવર બ્રિજ પર ભાગદોડ થવાના કારણે 22 લોકોના મોત થઇ ગયા છે. હવે આ ઘટના પર મોટો ખુલાસો થયો છે. શિવસેના તરફથી બંને સાંસદો અરવિંદ સાવંત અને રાહુલ શિવાલેએ 2015-16માં આ બ્રિજને પહોળો કરવા માટે ચિઠ્ઠી લખી હતી જેના જવાબમાં તત્કાલીન રેલ મંત્રી સુરેશ પ્રભુએ કહ્યું હતું કે રેલવે પાસે એના માટે ફંડ નથી. એમણે કહ્યું હતું કે ગ્લોબલ માર્કેટમાં મંદી છે તમારી ફરિયાદ તો સાચી છે પરંતુ હજુ ફંડની કમી છે.
બાદમાં કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરતાં કહ્યું કે નવા ફુટઓવર બ્રિજ માટે નિર્માણ માટે વર્ષ 2016માં જ મંજૂરી આપી દીધી હતી અને એના માટે ટેન્ડરની પ્રક્રિયા હજુ ચાલી રહી છે. તત્કાલીન રેલ મંત્રી સુરેશ મંત્રીએ ફુટઓવર બ્રિજના નિર્માણને મંજૂરી આપી છે.
આટલું જ નહીં શિવસેના સાંસદ અરવિંદ સાવંતે એના માટે વર્ષ 2014માં એનડીએ સરકારના પહેલા રેલમંત્રી સદાનંદ ગોડાને પણ પત્ર લખ્યો હતો. પરંતુ તત્કાલીન મંત્રીએ પણ એની પર કોઇ ધ્યાન આપ્યું નહીં.
શિવસેના સાંસદ રાહુલ શિવાલે 23 એપ્રિલ 2015 એ સુરેશ પ્રભુને પત્ર લખીને ફુટ ઓવરબ્રિજને પહોળો કરવાની માંગ કરી હતી. આ ઉપરાંત અન્ય શિવસેના સાંસદ અરવિંદ સાવંતે ફેબ્રુઆરી 2016માં પ્રભુને ચિઠ્ઠી લખીને ફરીથી માંગણી કરી હતી. એ દરમિયાન સુરેશ પ્રભુએ ફંડની કમી અને વૈશ્વિક મંદીનો હવાલો આપતાં કહ્યું હતું કે તમારી માંગણી યોગ્ય છે પરંતુ હાલમાં ફંડ નથી એટલા માટે મદદ કરવામાં આવશે નહીં.
આ બાબતે સાંસદ રાહુ શિવાલે કહ્યું કે આ મુદ્દાને લઇને તત્કાલીન રેલમંત્રીથી લઇને સંસદ સુધીમાં મુદ્દો ઊઠાવ્યો છે પરંતુ કોઇએ આ સમસ્યાને ગંભીર લીધી નહતી. આજની આ ઘટના રેલવેની બેદરકારી છે.