નવી દિલ્હીઃ દેશમાં કેશલેસ ટ્રાન્જેક્શનને જોર આપવા અને કાળાનાણાં પર રોક લગાવ્યા બાદ હવે મોદી સરકાર Digital Transaction પર જોર આપવા માટે દેશમાં ચેકબુકને જડમૂળમાંથી બંધ કરવાનો નિર્ણય લઇ શકે છે.
અખિલ ભારતીય વ્યાપાર પરિસંઘ(CAIT) નો દાવો છે કે કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં ચેકબુકની વ્યવસ્થાને બંધ કરવાની જાહેરાત કરી શકે છે. CAITના જનરલ સેક્રેટરી પ્રવીણ ખંડેલવાલનું માનવું છે કે સરકાર ક્રેડિટ કાર્ડના ઉપયોગને સતત પ્રોત્સાહન આપી રહી છે. આ માધ્યમને વધુ સ્વચ્છરીતે ચલાવવા માટે જલ્દી ચેકબુકની સુવિધાને પણ ખતમ કરવાની પહેલ કરી શકે છે.
સરકારને થશે મોટી બચત
પ્રવીણ ખંડેલવાલના જણાવ્યા અનુસાર નોટબંધીની પહેલા કેન્દ્ર સરકાર અંદાજિત 25 હજાર કરોડ રૂપિયા નવી કરન્સીની છાપણી અને 6 હજાર કરોડ રૂપિયાથી વધુની રકમ કરન્સીની સુરક્ષા માટે ખર્ચ કરતી હતી. આ ખર્ચને જોતા કેન્દ્ર સરકાર દેશની અર્થવ્યવસ્થાને કેશલેસમાં બદલવા માંગે છે.
વેપારમાં 95 ટકા લેવડ-દેવડ કેશ અથવા ચેકથી
ચેકબુક બેન કરવાથી કેશલેસ ઇકોનોમીની દિશામાં શું ફાયદો થશે? વધારે પ્રમાણમાં વ્યાપારીક લેવડ-દેવડ ચેક દ્વારા જ થાય છે. હજી 95 ટકા ટ્રાન્જેક્શન કેશ અથવા ચેક દ્વારા થાય છે. નોટબંધી બાદ રકમ લેવા-દેવામાં ઘટા઼ડો થયો અને ચેક બુકનો ઉપયોગ વધી ગયો છે. સરકારે આ નાણાંકીય વર્ષના અંત સુધીમાં 2.5 ટ્રિલિયન ડિઝિટલ ટ્રાંજેક્શનનો ટારગેટ રાખ્યો છે. આ ટારગેટને પુરો કરવા માટે સરકાર ચેક બુક પર ટૂંક સમયમાં પ્રતિબંધ લગાવવાની પહેલ કરી શકે છે.
રિઝર્વ બેન્કના કાયદાઓમાં થશે ફેરફાર?
જો કે ચેક સુવિધાને ખતમ કરવા માટે કેન્દ્ર સરકારને કાયદાકીય પહેલ કરવાની જરૂરીયાત છે. બેન્કો દ્વારા જાહેર કરવામાં આવી રહેલ ચેક બેન્કિંગ કાયદામાં જેમ નાણાંકીય સાધનો સામેલ છે. ઉલ્લેખનીય છે કે ચેકને ફાઇનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટની યાદીથી બહાર કરવા માટે તેને રિઝર્વ બેન્ક દ્વારા કાયદામાં ફેરફાર કરવાની જરૂરીયાત છે.