જો તમે વાસ્તુ શાસ્ત્રની વાત કરો તો એમાં સૌથી શક્તિશાલી ચીજોમાં એક દર્પણને માનવામાં આવે છે. આ વાતનો અંદાજો તમે આવી રીતે લગાવી શકો છો કે 'દર્પણ' વાસ્તુ શાસ્ત્રમાં કોઇ પણ પ્રકારના વાસ્તુદોષ નિવારણ માટે ખૂબ ઉપયોગી માનવામાં આવે છે. દર્પણમાં અપ્રત્યાશિત સૌભાગ્ય ધન-સંપત્તિ અને ઘરમાં હર્ષોલાસ લાવવાની ક્ષમતા હોય છે. પરંતુ એવું પણ માનવામાં આવે છે કે જો એનો ઉપયોગ ઘરમાં સાચી જગ્યાએ ના કરવામાં આવ્યો તો આ નકારાત્મકની એટલી જ શક્તિથી વધારે છે. દર્પણ ભાગ્યને જેટલું આકર્ષિત કરે છે એટલું જ દુર્ભાગ્યને પણ આકર્ષિત કરે છે.
- તિજોરીની સામે રાખેલો દર્પણ ઘનમાં ચારગણી વૃદ્ધિ કરે છે.
- ઘરના ખાવાના ડાયનિંગ ટેબલની સામે રાખેલો દર્પણ ઘરમાં અખંડ ધન-અનાજનું પરિબળ હોય છે.
- પ્રયત્ન કરો કે દર્પણ જે પણ દીવાલ પર લગાવો ફર્શથી એની ઊંચાઇ 4 થી 5 ફીટ હોય.
- ઘરમાં શક્ય હોય તો ચોરસ અને લંબચોરસ કાચ લગાવો.
- દર્પણને ઘરની ઉત્તર અને પૂર્વ દિશાની દિવાર પર લગાવવો સૌથી ઉત્તમ રહે છે.
- તમારા ડ્રેસિંગ ટેબલમાં એક મોટો કાચ લગાવો અને એને તમારા બેડની સાઇડમાં લગાવો કારણ કે સૂતી વખતે તમે કાચમાં જુઓ નહીં. આવું કરવું શુભ માનવામાં આવે છે.
- તમારા ઘરનો કોઇ ખૂણો કાપેલો છે તો એ દિશામાં કાચ લગાવી દો એનાથી એ ખૂણાનો વાસ્તુ દોષ સમાપ્ત થઇ જશે.
- ઘર અને દરવાજાના કાચ ક્યારેય પણ પારદર્શક હોવા જોઇએ નહીં.
- ક્યારેય પણ બે દર્પણ સામસામે ના લાગવવો જોઇએ એનાથી ઊર્જા અનિયંત્રિત હોય છે.