ઉના: અમોદ્રા ગામના દડવા રાંદલના મંદિર પાસે 8 થી 9 સિંહ પરિવારો અને સિંહો છેલ્લા 3 મહિનથી વસવાટ કરે છે. સિંહોના આવવાથી ખેડૂતોના ખેતરમાં રહેલા ઉભા પાકને જંગલી ભૂંડ અને નીલ દ્વારા થતા નુકસાન અટયું છે. તેથી સિંહ પરિવાર અહી જ કાયમી વસવાટ કરે તેવી અમોદ્રા ગ્રામજનોની લાગણી છે.
પરંતુ રાત્રી દરમિયાન બહાર ગામના લોકો દ્વારા સિંહોને ગેરકાયદેસર સિંહ દર્શન કરાવવા માટે બોલાવવામાં આવે છે અને હેરાન કરવામાં આવી રહ્યા હોય તેવી ફરિયાદ ઉઠી છે. તેનાથી ગ્રામજનો પર સિંહો હુમલા કરે તેવી ભીતિ સેવાય રહી છે. તેથી અહી વન કર્મચારીની નિમણુક કરવામાં આવે એવી માંગ કરવામાં આવી છે.
ગીર વિસ્તારમાં સિંહોને જરૂરી ખોરાકના મળતો હોય એટલે તેઓ જંગલ વિસ્તાર છોડીને નજીકના ગ્રામ્ય વિસ્તારમાં આવી ચડે છે. જ્યાં તેમને સહેલાયથી રખડેલ ઢોર અને નીલ ગાયો મળી રહેતા હોવાથી પડ્યા પાથર્યા રહે છે. અને વાડી વિસ્તારમાં પાણી પિવાના હવેડા પણ મળી રહે છે. તેમની સલામતી અહી એક સવાલ બની રહે છે.