જામનગરઃ જિલ્લાની પાંચેય બેઠકો પર પક્ષ-અપક્ષ દ્વારા પ્રચાર અભિયાન વેગવંતુ બન્યું છે. ત્યારે જામનગર દક્ષિણ બેઠકના ઉમેદવાર અશોક લાલ પ્રચારમાં તમામ સ્પર્ધકોથી આગળ નીકળી ગયા છે. અશોક લાલને ઠેર ઠેર સભાઓમાં પ્રચંડ જનસમર્થન મળી રહ્યું છે. જુદાજુદા સમાજના ટેકા વચ્ચે સમાજના બુદ્ધિ જીવી વર્ગ દ્વારા પણ તેઓને સમર્થન મળી રહ્યું છે.
આ વખતે વિધાનસભા ચુંટણીનો માહોલ બરાબર જામ્યો છે. પાંચેય બેઠકોમાં ભાજપાએ દિગ્ગજ નેતાઓને ઉતારી દીધા છે. બીજી તરફ કોંગ્રેસ દ્વારા જામનગર દક્ષીણ બેઠક પર ભાજપને ભારી પડી શકે તેવા ઉમેદવાર અશોક લાલને ઉતારી દેવાયા છે. ત્યારે આ બેઠક પર હાલ અશોક લાલને જોરદાર જન સમર્થન મળી રહ્યું છે.
દરેક સમાજની સાથે જુદી જુદી સંસ્થાઓના સમર્થન વચ્ચે અશોક લાલની સાથે હવે બૌધિક વર્ગ પણ જોડાયો છે. અન્ય સમાજની સાથે શહેર-જીલ્લાના મોટા ભાગના વકીલોએ પણ સમર્થન આપતા અશોક લાલની જીતના સમીકરણો ઉજળા બનતા જાય છે.