મધ્યપ્રદેશના એક જૈન દંપતી પોતાની ત્રણ વર્ષની પુત્રી અને 100 કરોડની સંપત્તિ છોડી શનિવારના દીક્ષા લેવા જઈ રહ્યા છે. ત્યારે આ અંગે એક RTIના સદર્ભમાં કાર્યવાહી કરવામાં આવી છે. જેના દ્વારા બાળ અધિકાર આયોગે પોલીસ કમિશનર અને કલેક્ટર પાસે રિપોર્ટ માંગવામાં આવ્યો છે અને દીક્ષા પાછળનો રિપોર્ટ તૈયાર કરી 10 દિવસમાં સોંપવા માટે કહ્યું છે.
બીજી તરફ મહિલા આયોગે પણ બાળકી માટે શું વ્યવસ્થા કરવામાં આવી છે તે અંગે રિપોર્ટ માગ્યો છે. સાથે જ પૂત્રીનો ત્યાગ કરવા પાછળનું કારણ પણ જણાવવા કહ્યું છે.