ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે ગ્રીનપાર્ક સ્ટેડિયમ ખાતેની ત્રીજી અને અંતિમ વનડે મેચમાં ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડને 6 રને જોરદાર હાર આપી હતી. ન્યુઝીલેન્ડની ટીમે ટોસ જીતી પ્રથમ ફિલ્ડિંગનો નિર્ણય લીધો હતો. ભારતીય ટીમે 50 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 337 રન કર્યા હતા. 338 રનના ટાર્ગેટ સામે ઉતરેલી કિવી ટીમે 49.4 ઓવરમાં 7 વિકેટના ભોગે 326 રન કરી લીધા છે. બુમરાહે 3 વિકેટ લીધી હતી.
ઉલ્લેખનીય છે કે અગાઉ ટીમ ઈન્ડિયાએ 338 રનનો પડકાર આપ્યો હતો. ટીમ ઈન્ડિયાએ 50 ઓવરમાં 6 વિકેટે 337 રન બનાવ્યા હતા. રોહિત શર્માએ 147 રન બનાવ્યા હતા. કોહલીએ 113 રન ફટકાર્યા હતા. હાર્દિક પંડ્યા 8 રને આઉટ થયો હતો. આ સાથે કોહલીના વન ડેમાં 9 હજાર રન પુરા થયા હતા. આ અગાઉ ન્યૂઝિલેન્ડે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે.