જામનગરઃ ચૂંટણી નજીક આવતાની સાથેજ આંદોલનકારીઓ મેદાને આવી ગયા છે. ત્યારે પાસ કન્વીનર હાર્દિક પટેલ ગુજરાતના અનેક જિલ્લાઓમાં સભા યોજી ભાજપ સરકારને આડેહાથ લેતા નજરે પડે છે. જામનગરના ધુતારપરગામે હાર્દિક પટેલે ખેડૂતસભાને સંબોધતા ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. અને જામનગર ગ્રામ્યના પૂર્વ ધારાસભ્ય રાઘવજી પટેલને નિશાને બનાવ્યા હતા. ચૂંટણી સમયે આ વખતે મત માંગવા આવે તો બહેનો દ્વારા થાળી અને વેલણ તૈયાર રાખજો.
જયારે ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે મારે ભાજપથી કોઇ પર્સનલ દુશ્મની નથી પરંતુ 14 વિરલાઓની હત્યા કરી નાખી છે. જેને લઇને હવે હું જનરલ ડાયરને પણ કહું છું કે હવે પર્સનલ દુશ્મની નથી. બીજી તરફ સભાની આસપાસ હાર્દિક પટેલના વિરોધ દર્શાવતા બેનરો લગાવ્યા હતા. સભામાં ખેડૂતો પાટીદાર સમાજના ભાઇઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.