રાજકોટ: પાસના કન્વીનર હાર્દિક પટેલ સામે રાજકોટમાં ફરિયાદ નોંધવામાં આવી છે. રાજકોટના નાનમૌવા સર્કલ પાસે 29મીએ સાંજે હાર્દિક પટેલની મહાક્રાંતિ સભા યોજાઇ હતી. જો કે આ સભાની ચૂંટણી અધિકારે મંજૂરી આપી નહતી. જેના સંદર્ભમાં રાજકોટમાં હાર્દિક પટેલ અને તુષાર નંદાણી સામે ફરિયાદ નોંધવામાં આવી છે.
મહત્વનુ છે કે તુષાર ગોલિંદ નંદાણીએ બોર્ડ નંબર 8 9 અને 10માં રહેતા ભાઇ-બહેનોનું દિવાળી પછીનું સ્નેહમિલન રાખવા માટે મંજુરી લેવામાં આવી હતી. પરંતુ હાર્દિક દ્વારા મહાક્રાંતિ સભા યોજવામાં આવી હતી. જેના ભાગરૂપે 69 વિધાનસભાના ચૂંટણી પંચ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે.
મહાક્રાંતિના બેનર હેઠળ મંજૂરી વગર ગેરકાયદેસર સભા યોજી ગેરકાયદેસર મંડળીઓ બનાવી જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યો છે. જેમાં તુષાર ગોવિંદ નંદાણી અને હાર્દિક પટેલના આરોપી તરીકે ફરિયાદમાં નામ છે.