જુનાગઢઃ એક તરફ રાજય સરકાર અનેક યોજનાઓથી ખેડૂતો ખુશ છે. તેવા બણગા ફૂંકી રહી છે. પરંતુ જુનાગઢના ખેડૂતો સરકારથી નારાજ છે. ખેડૂતોને આત્મહત્યા કરવાનો વારો આવ્યો છે. એટલા માટે ખેડૂતો નારાજ છે કે જયાં સરકારે ચૂંટણીલક્ષી જાહેરાતો કરીને ખેડૂતોના બેહાલ કરી દીધા છે.
ખેડૂતો પાણીથી મગફળીના પાકમાં મુંડના રોગ બેંકોના લોનના વ્યાજ ઉછીના લીધેલા પૈસા નીચે નીચે દબાયેલા ખેડૂતોને નથી મળી રહ્યા પોષણક્ષ મભાવો. આવા અનેક કારણોથી ખેડૂતો નારાજ છે. એક વીઘામાં 1500નો ખર્ચ થતો હોય તો સરકાર આપે છે માત્ર 900 રૂપિયા. તો માર્કેટયાર્ડમાં મગફળી વેચવા આવેલા ખેડૂતોમાં નિરાશા જોવા મળી હતી.
ગુજરાતમાં મગફળી ટેકાના ભાવથી સરકાર ખરીદી રહી છે. પરંતુ ખેડૂતો કહી રહ્યા છે કે સરકાર ટેકાના ભાવથી ખેડૂતોને લૂંટી રહી છે. જૂનાગઢમાં 1500 રજીસ્ટ્રેશન થઇ ચુકયા છે. જેમાં 40 ખેડૂતોની જ મગફળી વેચાઇ છે. બીજા ખેડૂતોની મગફળી કયારે વેચાશે જેને લઇને ખેડૂતોમાં ચિંતા ફેલાઇ છે.