વિરમગામ: બીજા તબક્કાના ચૂંટણી પ્રચાર માટે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી વિરમગામ પહોંચ્યા હતા.વિમરગામ ખાતે રાહુલ ગાંધીએ જનસભાને સંબોધતા પ્રધાનમંત્રી મોદીને આડેહાથ લેતા કહ્યું હતું કેમોદીજી આ ગુજરાતના ભવિષ્ય માટેની ચૂંટણી છે. તો ગુજરાતના ભવિષ્યને લઈને કાંઈક બોલો.
આ સાથે જ રાહુલે જણાવ્યું હતું કેપ્રધાનમંત્રી દેશમાં એવી વાતો કરી રહ્યા છે કે કોંગ્રેસનું દેશમાંથી નામો નિશાન મટી ગયું છે.
જ્યારે બીજી તરફ ગુજરાતમાં 50 ટકા વાત તો કોંગ્રેસની જ કરી રહ્યા છે અને 50 ટકા ખુદના વખાણ કરી રહ્યા છે.
ગુજરાતની લોકો અને વિકાસની વાત જ ભૂલી ગયા છે.આ સાથે જ રાહુલ ગાંધીએ કોંગ્રેસની સરકાર આવતાના 10 દિવસમાં ખેડૂતોના દેવા માફ કરવાની જાહેરાત પણ કરી હતી.