ગાંધીનગર: આગામી વિધાનસભાની ચૂંટણી પહેલા મુખ્યમંત્રી વિજયરૂપાણી દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી.આ પ્રત્રકાર પરિષદમાં સીએમ વિજય રૂપાણીએ રાહુલ ગાંધી પર નિશાન સાધતા પહેલા કહ્યુ હતુ કે હુ આજે રાહુલ ગાંધીને પડકાર ફેકવા માટે આવ્યો છુ.
રાહુલ ગાંધી ભાષણમાં માત્ર ગપ્પા મારે છે. અને દેશમાં વધી રહેલી બેરોજગારી અને ગરીબી વિશે તેમણે કોંગ્રેસને જવાબદાર ગણાવ્યા હતા. ત્યાર બાદ નોટબંધી અને GST પર કહ્યુ કે દેશભરમાં લાગૂ કરવામાં આવેલ નોટબંધી અને GST સફળ રહી છે.
GST કન્સિલની બે"કમાં કોંગ્રેસના નાણામંત્રી પણ સામેલ છે.કોંગ્રેસ દ્વારા GSTનો વિરોધ કરવામાં આવે છે પરંતુ કોંગ્રેસના નાણામંત્રીએ GSTનો વિરોધ કર્યો નથી. અને દેશમાં સરકાર દ્વારા નોટબંધી બાદ પણ લોકો દ્વારા ભાજપને સારો પ્રતિસાદ મળી રહ્યો છે જેની આગામી વિધાનસભાની ચૂંટણીમાં અસર પણ જોવા મળશે.
ત્યાર બાદ તેમણે કહ્યુ કે 80 ટકા ગામોમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં ભાજપને જીત મળી છે.અને રાજ્યમાં શિક્ષણનો પ્રમાણ વધે તે માટે 17 હજાર નવી શાળાઓ શરૂ કરવામાં આવી છે.
અને જાહેર કરવામાં આવેલ બેરોજગારના આંકડા વિશે કહ્યુ કે રાજ્યમાં 30 લાખ બેરોજગારોનો આંકડો ખોટો છે.રાહુલ ગાંધી દ્વારા મોદી સરકાર પર ઉદ્યોગપતિઓને પાણી આપવા આવે છે તે વિશે વિજય રૂપાણીએ કહ્યુ કે ઉદ્યોગોને માત્ર 2 ટકા પાણી આપવામાં આવે છે.