એક તરફ સરકાર ગરીબીનો હોવાના મોટી મોટી વાતો કરી રહી છે. જ્યારે બીજી તરફ જાહેરમાં ગરીબોની મજાક ઉડાવાઈ રહી છે. આવી જ ઘટના સામે આવી છે અરવલ્લીના ગરીબ કલ્યાણ મેળામાં.. જ્યાં સભાના મંડપ નીચે જ આવાસ યોજનાનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. મળતી માહિતી પ્રમાણે સરકારે પલ્બિસિટી માટે સભામંડપમાં જ ગૃહપ્રવેશ માટે મકાનના બદલે સભામંડરમાં જ પૂજન કરાવ્યું હતું.
મહત્વનું છે કે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 270 લાભાર્થીઓને મંડપ નીચે જ ગૃહપ્રવેશ કરાવવામાં આવ્યો હતો. ત્યારે આ ઘટનાને લઈને અનેક સવાલો સરકાર સામે ઉઠી રહ્યા છે કે ગરીબોને ઘર આપવાની આ કેવી રીત? સભા મંડપમાં જ ગૃહપ્રવેશ કરાવવાનો શું મતલબ? શું આવી રીતે થશે ગરીબોનું કલ્યાણ? શું આવી રીતે દેશ ગરીબી મુક્ત થશે? શું ગરીબો પર કોઈ ઉપકાર કરી રહી છે સરકાર? જેણે પોતાનો મત આપી જિતાડયા તેનું અપમાન કેટલું યોગ્ય?