દુબઇ : ક્રિકેટ એસ.શ્રીસંથે પોતાનાં ઉપર લાગેલા આજીવન પ્રતિબંધને ફરી લાગુ થયા બાદ કોઇ બીજા દેશ તરફથી રમવાનો ઇશારો કર્યો છે. શ્રીસંથે દુબઇ ખાતેની એક ઇવેન્ટમાં કહ્યું કે હું કોઇ અન્ય દેશ માટે ક્રિકેટ રમી શકુ છું. હું 34 વર્ષનો છું અને 6 વર્ષ હજી પણ ક્રિકેટ રમી શકુ છું. નોંધનીય છે કે કેરળ હાઇકોર્ટે સોમવારે શ્રીસંથ પર બોર્ડ દ્વારા લગાવાયેલા પ્રતિબંધને યથાવત્ત રાખ્યો હતો.
શ્રીસંથે કહ્યું કે બીસીસીઆઇએ મારા પર પ્રતિબંધ લગાવ્યો છે. આઇસીસીએ નહી જો ભારત માટે નહી તો હું કોઇ અન્ય દેશ માટે રમી શકુ છું. હું હાલ 34 વર્ષનો છું. હું એક એવી વ્યક્તિ તરીકે રમવા માંગુ છું જે ક્રિકેટને ખુબ જ પ્રેમ કરે છે. બીસીસીઆઇ એક પ્રાઇવેટ ફર્મ છે જે આપણે જણાવે છે કે ભારત એખ ટીમ ફે પરંતુ તમે બધા જ જાણો છો કે આખરે બીસીસીઆઇ છે તો એક ખાનગી સંસ્થા.
અત્રે ઉલ્લેખનીય છે કે શ્રીસંત પર ફિક્સિંગનો આરોપ લાગ્યો હતો જે સિદ્ધ થયા બાદ બીસીસીઆઇ દ્વારા તેના પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. જેનાં કારણે તે આઇપીએલ ઉપરાંત ભારત તરફથી ક્યારે પણ ક્રિકેટ નહી રમી શકે.