આણંદ: આણંદના પાધરિયા વિસ્તારમાં તબીબની બેદરકારીથી એક યુવાનનું મોત નિપજ્યું હોવાનો આક્ષેપ થયો છે. યુવકના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે તબીબે યુવકને ઈન્જેક્શન આપ્યું હતું. ત્યાર બાદ તેનું મોત નિપજ્યું છે. પરિવારજનોએ તબીબ વિરુદ્ધ બેદરકારીના આક્ષેપ સાથે પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે.
ઉલ્લેખનીય છે કોઇ પણ દર્દીઓ દરેક ડોક્ટરને ભગવાનનું સ્વરૂપ માનતા હોય છે ત્યારે ડોક્ટરની આવી બેદરકારીને કારણે વ્યક્તિનું મોત થાય તો લોકોને વિશ્વાસ ઉઠી જાય છે. આ ઘટનામાં પણ કાંઇક આવુ જ બનવા પામ્યુ હતું. જુવાનજોધ દિકરાનું અવસાન થતા પરીવારમાં આક્રંદ છવાયો હતો.
પરીવારજનો એ ડોક્ટરની આવી બેદરકારી વિરૂધ્ધ ફરીયાદ પણ નોંધાવી હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યુ હતુ.