અમદાવાદ: એરપોર્ટ પર સુરક્ષામાં ખામીની બાબત સામે આવી છે. બુધવારે 10 જાન્યુઆરી મોડી રાતે એરપોર્ટના રનવે પર ગાય ઘૂસી જવાના કારણે બે વિમાનોનું લેન્ડિંગ થઇ શક્યું નથી. ગાયના કારણે બંને વિમાનોનું લેન્ડિંગ અમદાવાદની જગ્યાએ મુંબઇ કરાવવું પડ્યું હતું.
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ ગુરુપ્રસાદ મોહપાઊાએ આ ઘટનાની પુષ્ટિ કરી છે. જો કે એરપોર્ટમાં સુરક્ષાની ખામીને લઇને આ પહેલો કિસ્સો નથી આ પહેલા પણ અમદાવાદમાં વિમાનોછી પક્ષીઓ અથડાવાની ઘટનાઓ ઘણી વખત સામે આવી છે. એએઆઇના અધ્યક્ષે કહ્યું કે કાર્ગો સાઇડથી એત ગાય રનવે પર પહોંચી ગઇ હતી. સ્થિતિ પર જલ્દી નિયંત્રણ કરી લેવામાં આવ્યું હતું. જો કે એ સમયે બે વિમાનોનું લેન્ડિંગ થવાનું હતું. એમાં એક વિમાન ખાડીના દેશોમાંથી આવી રહ્યું હતું અને બીજું માલવાહક વિમાન હતું.
રનવે પર ગાય હોવાને કારણે બંને વિમાનોનું લેન્ડિંગ શક્ય થઇ શક્યું નહીં તો એમનો રૂટ ડાયવર્ટ કરીને મુંબઇ મોકલવામાં આવ્યું. વિમાનોનું સુરક્ષિત લેન્ડિંગ અને ઉડાનને લઇને ઘણા પ્રકારના નિયમો બનાવવામાં આવ્યા છે. હવાઇ મથકોને ઓપરેશનલ અનુમતિ આપવામાં આવે છે. હવાઇ મથકો માટે એરપોર્ટ ઓથોરિટી ઉપરાંત ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન જવાબદાર છે.