કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ ભરતસિંહએ સોલંકીની પત્રકાર પરિષદમાં જણાવ્યુ કે જનતાના નિર્ણય અમે સ્વીકારીએ કરીતા કહ્યુ કે મારા રાજીનામાં અંગે હાઇકમાન્ડ નિર્ણય કરશે. હારની જવાબદારી મારી કે રાહુલ ગાંધીની નહી. ટિકીટ વહેચણીમાં કોઇ ખામી રહી ન હતી.
ઉલ્લેખનીય છે કે આજે ગુજરાત વિધાનસભાની ચુંટણીના પરિણામો જાહેર થતાં ગુજરાતનો સત્તાધારી પક્ષ ભાજપ 99 બેઠકો સાથે વિજયી બન્યો થયો હતો. આ સાથે કોંગ્રેસે પણ 80 બેઠકો મેળવીને ભાજપને ખાસ ટક્કર આપી હતી
પરંતુ પાસા ભાજપ તરફી પડતા અંતે ભાજપે ફરી એકવાર ગુજરાતમાં સરકાર બનાવવા માટે સજ્જ થયું હતુ. ત્યારે આજે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ પત્રકાર પરિષદ યોજીને જનતાના નિર્ણયને સ્વીકારતા આગામી સમયમાં શું કરવું તે અંગે વાતચીત કરી હતી.