ભારતના પ્રખ્યાત શેફ સંજીવ કપૂરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ફૂડ હેબિટ્સને લઈને કેટલીક ખાસ વાતો શેર કરી છે. હાલમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી UAEની મુલાકાતે છે ત્યારે તેમના માટે ભોજન સંજીવ કપૂર જ બનાવે છે. સંજીવ કપૂરે જણાવ્યું કે મોદી ભોજનની ફ્લેવરને લઈને જાતજાતના પ્રયોગો કરવા પસંદ કરે છે ફૂડ બસ શાકાહારી હોવુ જોઈએ. આ ઉપરાંત પણ તેમણે મોદીની ખાવા-પીવાની કેટલીક આદતો વિષે જણાવ્યું હતુ.
'ખાના ખજાના' ફેમ સંજીવ કપૂરે આ દરમિયાન પરોઠા વિશે વાત કરી ત્યારે તેમણે મને એક પરોઠા વિશે જણાવ્યુ જે સરળતાથી તૈયાર થઇ જાય છે .મને તે સાંભળવામાં સારું લાગ્યુ. મેં તેમને જણાવ્યુ કે ''હું જરૂરથી આ ડિશને ટ્રાય કરીશ.''
સંજીવ કપૂરે જણાવ્યું કે ''પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જાતજાતનું ભોજન ટ્રાય કરે છે. તેમને કોઈ એલર્જી ન હોવાથી તેમનું ફૂડ તૈયાર કરવુ સરળ હોય છે.''
મોદી દાળ-ભાત ઢોંસા વગેરે ડિશો અવારનવાર ખાવાનું પસંદ કરે છે. સામાન્ય રીતે તે ખીચડી અને સાત્વિક ગુજરાતી ભોજન પસંદ કરે છે. આ સિવાય પ્રધાનમંત્રી લીબું પાણી પીવાનું પણ પસંદ કરે છે. આ સાથે જ UAEમાં કપૂરે તેમના માટે કંઈક નવી ડિશ તૈયાર કરી હતી.
સંજીવ કપૂરે કહ્યું ''મોદી સામાન્ય શાકાહારી ભોજન પસંદ કરે છે અને તેમનં માનવુ છે કે બીજા દેશના ભોજનથી તેમની સંસ્કૃતિ વિષે ઘણું જાણી-શીખી શકાય છે.''