મોટાભાગે લોકો રોજ કમર પર બેલ્ટ બાંધવાની આદતથી ટેવાયેલા છે.જેના કારણે દિવસભર પેટની નસ દબાયેવલી રહે છે. આ કારણોસર કેટલીય નસો અને આંતરડા પર પ્રેશર આવે છે. આ કારણોસર સ્પર્મ કાઉંટ ઓછી થઇ શકે છે. જેના કારણે પુરૂષોની ફર્ટીલીટી ઘટી શકે છે.
નિષ્ણાતોના મત મુજબ શક્ય હોય ત્યાં સુધી બેલ્ટ પહેરવો ના જોઇએ અને પહેરવો ફરજીયાત હોય તો થોડો ઢીલો પહેરવો જોઇએ.
તાજેતરમાં કોરીયામાં થયેલા એક સંશોધન મુજબ કમર પર એકદમ ટાઇટ બેલ્ટ બાંધવાથી મસલ્સના કામ કરવાની રીત બદલાઇ જાય છે. આના કારણે જોઇન્ટ પેઇનની પણ સમસ્યા પણ થઇ શકે છે.
- ખાધા બાદ ડાઇઝેશન પણ યોગ્ય રીતે નથી થઇ શકતી.
- એસીડીટીની પણ તકલીફ થઇ શકે છે.
- કબજીયાત થવાની શક્યતા વધી જાય છે.
- પગના હાડકાં હલકાં થવાની શક્યતા છે.
- સ્પર્મ કાઉંટ ઘટી શકે છે.
- પગમાં સ્વેલીંગ શરૂ થઇ જાય છે.
- કમરમાં દુખાવો થવાની શક્યતા વધી જાય છે. તથા કમરની તકલીફ વધે છે.