રાજ્યમાં ઠેર ઠેર નર્મદા યાત્રાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે રાજકોટ મહેસાણા સાબરકાંઠા અને હિંમતનગરમાં પણ નર્મદા રથનો વિરોધ કરવામાં આવ્યો. ત્યારે વાત કરીએ રાજકોટની તો રાજકોટમાં નર્મદા યાત્રા નીકળી ત્યારે કોંગ્રેસના વિપક્ષી નેતા વશરામ સાગઠિયા સહિતના નેતાઓ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. વિકાસનું મૃત્યુ થયું છે અને ભાજપના દીકરાનું મૃત્યુ થયું છે તેવા બેનર સાથે ઠાઠડી કાઢવામાં આવી હતી.
આ તરફ સાબરકાંઠાના તલોદ તાલુકાના સલાટપુર ગામે નર્મદા રથનો વિરોધ કરવામાં આવ્યો. અને ગામના લોકોએ રથ આવતા જ હોબાળો મચાવ્યો હતો. તો હિંમતનગરમાં કરણપુર ગામમાં નર્મદારથનો વિરોધ કરતા ગામ લોકોએ મોદીના પોસ્ટર ઉતારવા કહ્યું. જો કે પરિસ્થીતી વળશે નહિ તે માટે પોલીસને ગામમાં ઉતારવાની ફરજ પડી હતી. આમ છતા પણ ગામ લોકો મ[મ રહ્યા અને રથને ગામમાં પ્રવેશ નહિ આપવાની વાતને વળ્યા રહ્યા.