આજના યુગમાં સોનાના દાગીના પહેરાવાનો શોખ મોટાભાગના લોકોને રહેલો છે. ખાસ કરીને વીંટી પહેરાવાનો શોખ આજના સમયમાં મોટાભાગના લોકોને હોય છે. સોનાની ચમક ક્યારેય ઓછી થતી નથી એટલે સોનાનું આભુષણ વધુ અગત્યતા ધરાવે છે. પરંતુ સોનાની વીંટી પહેરવાની સાથે કેટલીક બાબતો આપણા શાસ્ત્રમાં આલેખવામાં આવેલ છે.
- સોનું ગુરૂ ગ્રહ સાથે સંબંધ ધરાવે છે એટલે સાનાની વીટીં પહેરતા પહેલા આ બાબત અંગે જાણી લેવું.
- સોનાની વીંટી તર્જનીમાં પહેરવાથી વધુ ફાયદો થાય છે.
- સોનાની વીંટી પહેરો તો ક્યારેય નશો ના કરવો.
- તર્જની આંગળીમાં પોખરાજ પહેરવાથી પણ વધુ ફાયદો થાય છે. પોખરાજ ધારણ કરતા પહેલા કુંડળી અવશ્ય ચેક કરાવી લેવી જોઇએ.
- જે લોકો મોટાપાથી પરેશાન હોય તે લોકોએ સોનાની વીંટી પહેરવાથી બચવુ જોઇએ.
- સોનાની વીંટીને જમણાં હાથમાં પહેરવી જોઇએ તેનાથી વધુ ફાયદો થાય છે.
- સોનાની વીંટી ગુમ થાય તો તેને અશુભ માનવામાં આવે છે એટલે તે ખોવાઇ ના જાય તેનું ધ્યાન રાખવું જોઇએ.
- આર્યુર્વેદ મુજબ સોનાની વીટીં પહેરવાથી ફાયદો થાય છે.
- જો કોઇની કુંટળીમાં શનિની દશા હોય તો તેમણે સોનાની વસ્તુ ધારણ કરવાથી બચવું જોઇએ.