મુંબઇઃ યોગ ગુરૂ બાબા રામદેવ વિશ્વભરમાં પોતાનો બિઝનેસ ફેલાવ્યા બાદ હવે ટીવી ઇન્ડસ્ટ્રીઝમાં પોતાનું ડગ માંડવા જઇ રહ્યા છે. બાબા રામદેવ ટુંક સમયમાં શરૂ થવા જઇ રહેલ ટીવી રિયલિટી શો 'ઓમ શાંતિ ઓમ'નો ભાગ બનવા જઇ રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ શો પહેલા એપિસોડને બાજીરાવ રણવીર સિંહ હોસ્ટ કરશે.
મીડિયા રિપોર્ટ અનુસાર આ શોનો પહેલો એપિસોડ રણવીર સિંહ અને ત્યારબાદ અપારશિક્ત ખુરાના આ શોને હોસ્ટ કરશે. રિપોટ્સ અનુસાર રણવીર સિંહ પોતાની ફિલ્મ બાજીરાવ મસ્તાનીના સોન્ગ સાથે આ શોની શરૂઆત કરશે.
જણાવી દઇએ કે સ્ટાર ભારતનો અપકમિંગ રિયલિટી શો ઓમ શાંતિ ઓમ ભજનના કોન્સેપ્ટ પર આધારિત હશે. બાબા રામદેવ સિવાય દબંગ ગર્લ સોનાક્ષી સિન્હા પણ આ રિયાલિટી શોનો ભાગ બનવા જઇ રહી છે. આ શોમાં બન્ને જજની ભૂમિકામાં નજરે આવશે.
આ શોની ખાસ વાત આ છે કે આમાં 14 કન્ટેસ્ટેન્ટ સામેલ હશે જે ભજન સંભળાવશે. આ શોની શરૂઆત કરવાનો મુખ્ય ઉદેશ્ય છે યૂથમાં ભજનની સમજ પેદા કરવાનો છે. જણાવાય રહ્યું છે કે 'નચ બલિયે 8'માં સોનાક્ષી સિન્હાએ જજનું સારૂ પાત્ર ભજવ્યું હતું એટલા માટે તેમને આ શો માટે જજ બનાવવામાં આવી રહી છે. જણાવી દઇએ કે આ શો 28 ઓગસ્ટના રોજ 6 વાગ્યે ઓનએર થશે.