અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં એક યુવક પર જીવલેણ હુમલો કરાયો હોવાની ઘટના સામે આવી છે. જયાં તીક્ષ્ણ હથિયાર વડે અજાણ્યા શખ્સ દ્વારા યુવક પર હુમલો કરાયો હતો. જેથી વસ્ત્રાપુર પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે વસ્ત્રાપુર ગામ આવેલ ભરવાડ વાસમાં મુકેશ નામના યુવક પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરાયો હતો. મુકેશ અને તેનો મિત્ર મકાનમાં સાથે સુતા હતા. ત્યારે અચાનક કોઈ અજાણ્યા ઈસમે મુકેશના ગળાના ભાગે છરી વડે હુમલો કરી ઇજા પહોંચાડી હતી.
મુકેશ ગ્રાન્ડ ભગવતી હોટલમાં સુપરવાઇઝર તરીકે કામ કરે છે. અંગત અદાવતમાં હુમલો થયું હોવાનું સામે આવ્યું છે. વસ્ત્રાપુર પોલીસે હત્યા કરવાની કોશિશને લઈને ગુન્હો નોધી તપાસ શરૂ કરી છે. જોકે પોલીસે FSLની મદદ લઈ આરોપીને પકડવા ચક્રોગતિમાન કર્યા છે.