અમેરીકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે પાકિસ્તાન આતંકવાદીઓ માટે સ્વર્ગ સમાન છે. પાકિસ્તાન વિરૂદ્ધ કડક વલણ અપનાવતા ટ્રંપે વધુમાં કહ્યુ છે કે એક તરફ પાકિસ્તાની નાગરીકો આતંકવાદનો ભોગ બનવાની સાથે જ પાકિસ્તાન આતંકવાદીઓ માટે સુરક્ષીત સ્વર્ગ બની ગયુ છે. પાકિસ્તાનમાં ઘણા આતંકવાદીઓના સંગઠન હજી સક્રીય છે.ત્યારે હવે પાકિસ્તાને આતંકવાદ વિરૂદ્ધમાં તેમનું વલણ સ્પષ્ટ કરવું પડશે. અફઘાનીસ્તાન પર નીતિ સ્પષ્ટ કરી ટ્રંપે કહ્યું છે કે ભારત સાથે કુટનૈતકિ સંબંધો આગળ વધરાવાની સાથે અફઘાનીસ્તાનને વધુમાં વધુ મદદ કરીશું. સાથે જ એ પણ કહ્યું કે ભારતે અમેરકિા સાથે વેપાર કરીને અરબો ડોલરની કમાણી કરી છે. હવે ભારત અફઘાનીસ્તાનમાં મદદ કરે તેવી આશા તેમણે વ્યક્ત કરી છે.
અફઘાનીસ્તાન પર ટ્રંપનું કહેવું છે કે ઇરાકમાં આમારા પૂર્વ નેતાઓ દ્વારા કરવામાં આવી રહેલી ભૂલો પાછી કરીએ. આતંકવાદી માત્ર અપરાધી છે. ટ્રંપએ વધુ કહ્યું કે પાકિસ્તાન અફઘાનીસ્તાનમાં અમારા દ્નારા કરવામાં આવતા પ્રયાસોની મદદથી તેમને વધુ લાભ મળી શકે છે.