મુંબઇ: તાજેતરમાં ઐશ્વર્યા રાય બચ્ચન પોતાની પુત્રી આરાધ્યની છઠ્ઠી બર્થ ઊજવી હતી. ત્યાર બાદ કાલે એનજીઓની સાથે મળીને પોતાના સ્વર્ગીય પિતા કૃષ્ણરાજ રાયનો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો. આ ઇવેન્ટ દરમિયાન જ ઐશ્વર્યાની સાથે એવું કંઇક થયું કે એ રડવા મજબૂર થઇ ગઇ.
આ ઇવેન્ટ દરમિયાન મીડિયા પર્સન સાથે ઐશ્વર્યા રાય એટલી પરેશાન થઇ ગઇ કે એ રડવા લાગી. હકીકત ઇવેન્ટમાં ઐશ્વર્યા પોતાની માં વૃંદા રાય અને પુત્રી આરાધ્યાની સાથે પહોંચી હતી. આ પ્રસંગે ઐશ્વર્યાએ 100 બાળકોની સર્જરીનો ખર્ચ ઊઠાવવાનો નિર્ણય કર્યો હતો.
આ ઇવેન્ટને એક એનજીઓ અને હોસ્પિટલે મળીને ઓર્ગેનાઇઝ કરી હતી. અહીંયા ઐશ્વર્યા બાળકોને પણ મળી. બધું જ બરોબર ચાલી રહ્યું હતું પરંતુ ફોટો પાડવાના ચક્કરમાં મીડિયાની વત્તે અફરા-તફરી મચી ગઇ.
ઐશ્વર્યાએ કહ્યું કે લોકો શાંત થઇ જાવ અને પછી ફોટો લો. પરંતુ એની વાત કોઇએ સાંભળી નહીં. ઐશ્વર્યાએ વારંવાર ના પાડવા છતાં ફોટોગ્રાફર્સ સતત ફોટો પાડતાં રહ્યા. આ બધું જોઇને ઐશ્વર્યાનો મૂડ ખરાબ થઇ ગયો. આટલું જ નહીં ઐશ્વર્યાની આંખોમાં આંસુ પણ આવી ગયા. ઐશ્વર્યા રડતાં ઇવેન્ટમાંથી બહાર નિકળી ગઇ.
ઉલ્લેખનીય છે કે ઐશ્વર્યા રાય હાલમાં પોતાની અપકમિંગ ફિલ્મ 'ફન્ને ખાં' નું શૂટિંગ કરી રહી છે. આ ફિલ્મમાં ઐશ્વર્યાની સાથે રાજકુમાર રાવ અને અનિલ કપૂર પણ જોવા મળશે.