ભાવનગર: ટ્રાફિકથી ધમધમતા અમદાવાદ - ભાવનગર રોડ પર ગત મોડી રાત્રે એક ગમખ્વાર અકસ્માત થવાની ઘટના બની છે. બસ અને ટેન્કર વચ્ચે થયેલા આ અકસ્માતમાં ઘટના સ્થળે જ 5 વ્યકિતના કરૂણ મોત નીપજ્યા હતા.
ભાવનગર અમદાવાદ ટૂંકા માર્ગ ઉપર ગત મોડી રાત્રીના 2 વાગે ગમખ્વાર અકસ્માત બસ અને ટેન્કર વચ્ચે થયો હતો. જેમાં 3ના સ્થળ ઉપર અને 3ના ભાવનગરની સીવીલ હોસ્પિટલમાં સરવાર દરમિયાન મોત. ગત રાત્રીના સમયે મહુવાથી સુરત જવા નીકળેલે મીના ટ્રાવેલ્સ ની વાળ ભાવનગર થી 50 કિલો મીટર દૂર અધેલાઈ પાસે પહોંચી. ત્યારે કેમિકલ ભરેલા ટ્રક સાથે અથડાઈ હતી. જેમાં 3 પુરુષના ઘટના સ્થળે મોત થયા હતા.
ભાવનગની સિવીલ હોસ્પિટલ ખસેડાયા હતા જેમાંથી 3 મુસાફરો આજે સવારે મૃત્યુ પામ્યા હતા આમ મૃતકોની સંખ્યા કુલ 6 પર પહોંચ્યો છે.
મળતી માહિતી મુજબ મીની બસ ગત મોડી રાતે મહુવાથી સુરત જવા નીકળી હતી. ત્યારે ભાવનગરથી 50 કિમી દુર અઘેલાઇ પાસે કેમીકલ ભરેલા ટેન્કર સાથે તેનો અકસ્માત થયો હતો.
અહીં 20 બસમાં બેસેલાથી વધુ લોકો ને નાની મોટી ઇજા થવા પામી હતી. જેમાંથી સવારે વધુ 2ના ભાવનગરની હોસ્પિટલમાં મોટ થયા હતા અને કુલ 5ના મોત થયા હતા. મૃત્યુ પામેલાઓને પોસ્ટ મોટર્મ માટે નજીકના પીએચસી સેન્ટરમાં લઇ જવાય હતા. જયારે 10 ઇજાગ્રસ્તો ને ભાવનગર લાવવામાં આવ્યા હતા.
જયારે 24 થી વધુ વ્યકિત ઇજાગ્રસ્ત થયા હતા. ઘટનાને પગલે ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાઇ હતી. અકસ્માતમાં ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા.
ઉલ્લેખનીય છે કે ગઇકાલે એટલે કે મંગળવારે વહેલી સવારે પણ એક મોટો અકસ્માત થવા પામ્યો હતો. જે અમદાવાદ- ઇન્દોર હાઇવે પર વહેલી સવારે ગમખ્વાર અકસ્માત થયો હતો. ટ્રક અને જીપ વચ્ચે આ અકસ્માત થયો હતો જેમાં ઘટના સ્થળે જ 13 લોકોના કરૂણ મોત નિપજ્યા હતા અને 9 જેટલા વ્યકિત ઘાયલ થયા હતા.