લોકસભા ચૂંટણી માટે જાહેર કરવામાં આવેલા કોંગ્રેસના ઘોષણાપત્રને લઈને વિવાદ ઉભો થયો છે. કોંગ્રેસના ઘોષણા પત્રમાં કહેવામાં આવ્યું છે કે, જે તેમની સરકાર સત્તામાં આવશે તો કશ્મીર ઘાટીમાં તેનાત સેનાની તૈનાતી ઘટાડવામાં આવશે અને AFSPA પર પુનર્વિચાર કરવામાં આવશે.
સુત્રોનું માનીએ તો કોંગ્રેસના આ મેનીફેસ્ટો પર ભારતીય સેનાએ આપત્તિ વ્યક્ત કરી છે. તેઓનું કહેવું છે કે, જમ્મૂ-કશ્મીરમાં સેનાની તૈનાતીને ઘટાડવી ખતરનાક સાબિત થઈ શકે છે.
સેનાના સુત્રોનું માનીએ તો આ નિર્ણયથી જમ્મૂ-કશ્મીરમાં આતંકીઓને સુરક્ષાબળ અને સ્થાનિકોને નિશાન બનાવવામાં ખૂલ્લી છૂટ મળશે. સેનાના સંખ્યાબળમાં ઘટાડો કરાતા અનંતનાગ અને ત્રાલ જેવા વિસ્તારમાં પરિસ્થિતિ બેકાબૂ બની છે.
જમ્મૂ-કશ્મીર પોલીસ માટે આ પરિસ્થિતિને સંભાળવી ખૂબ મુશ્કેલ થઈ શકે છે. સુરક્ષાબળની સંખ્યામા ઘટાડો કરવો એ માત્ર અને માત્ર દેશ વિરોધી શક્તિઓને ફાયદો પહોંચાડવા જેવુ છે. જેના પર સુપ્રીમ કોર્ટે પણ ટિપ્પણી કરી છે કે જમ્મૂ-કશ્મીરમાં AFSPA જરૂરી છે.