કચ્છ: બોલીવુડની અભિનેત્રી વિદ્યા બાલને કચ્છના ધોરડો ખાતે રણોત્સવની મુલાકાત લીધી હતી. વિદ્યા બાલને પોતાના જ સુલુના કિરદારને ચમકાવતી 'તુમ્હારી સુલુ'નામની ફિલ્મના પ્રમોશન માટે કચ્છનું સફેદ રણ પસંદ કર્યું હતું.
આગામી 17 નવેમ્બરના આ ફિલ્મ રિલીઝ થવાની છે ત્યારે તેના પ્રમોશન માટે આવેલી વિદ્યા બાલને પત્રકારો સાથે વાત કરી હતી.
તેમણે જણાવ્યું હતું કેભગવાનના ખોળામાં ખોવાઇ જઇએ આવી સફેદી કયાંય નથી.. સાથે વિદ્યા બાલને કચ્છની સરહદ ચોકી પર BSFના જવાનોને મળી હતી તેમજ જવાનો સાથે નાચગાન પણ કર્યું હતું. તેમણે કહ્યું કે અમે તો પડદા પાછળના હીરો છે. સરહદની સુરક્ષા કરતા સાચા હીરો તો દેશના જવાનો છે