ભારતમાં ફરવા માટે ઘણી બધી જગ્યાઓ છે પરંતુ આજે અમે તમને સૂરજના કિરણો પડતાં જ રંગ બદલાઇ જાય એવા કિલ્લા માટે કહેવા જઇ રહ્યા છે. રાજસ્થાનના જેસલમેરમાં બનેલા આ સુંદર કિલ્લાને જોવા માટે દર વર્ષે દેશ વિદેશમાંથી ઘણા ટૂરિસ્ટ આવે છે. ચલો તો જાણીએ આ કિલ્લા માટેની કેટલીક રસપ્રદ વાતો.
સૂરજના કિરણો પડતાં જ રંગ બદલાતા આ કિલ્લાને સોનાનો કિલ્લો અથવા ગોલ્ડન ફોર્ટ પણ કહેવામાં આવે છે. સોનાની જેમ ચમકતો આ કિલ્લો રેગિસ્તાનની વચ્ચેવચ બનેલો છે. દુનિયાના સૌથી મોટા કિલ્લામાંથી એક માનવામાં આવતા આ કિલ્લામાં 99 કિલ્લા બનાવવામાં આવ્યા છે.
નક્શી શિલ્પકામ અને બેજોડ સ્થાપત્ય કલાની સાથે આ કિલ્લો 30 ફીટ ઊંચી દિવાલોથી ઘેરાયેલો છે. દુશ્મનથી બચાવવા માટે એના મુખ્ય દ્વારની બનાવટ પણ અલગ રીતે કરવામાં આવી છે. 1156માં ત્રિકુરા પહાડી પર બનેલા આ કિલ્લાની બનાવટ ખૂબ જ સુંદર રીતે બનાવવામાં આવી છે.
કિલ્લાની અંદર તમે ઘણી સુંદર હવેલીઓ મકાન મંદિર અને ઝીલ જોઇ શકો છો. આ ઉપરાંત અહીંયા તમે સ્થાપ્ત્ય શૈલી માટે જાણીતી અખાઇ પોલ હવા પોલ સૂરજ પોલ અને ગણેશ પોલ જેવા ઘણા દ્વાર પણ જોઇ શકો છો.