સુરતમાં ભેસ્તાન ખાતે આવેલ સુરત મનપાના 200થી વધારે આવાસ ખરાબ હાલતમાં હોવાથી રહિશો દ્વારા આજે વિરોધી કરીને નવા આવાસની માંગ કરવામાં આવી છે.
આ રજુઆતમાં મોટી સંખ્યામાં રહિશો જોડાયા હતા. સાથે જ તેમણે કલેક્ટર કચેરી બહાર બાજરીના રોટલા બનાવીને વિરોધ કર્યો હતો. ભારે સુત્રોચ્ચાર સાથે આ રહિશોએ ચૂંટણી ટાણે જ સરકાર સમક્ષ આ રજુઆત કરી છે.
સુરતના ભેસ્તાન ખાતે રહિશોનો વિરોધ
200થી વધુ આવાસો ખરાબ હાલતમાં
નવા આવાસ આપવાની રહિશોની માંગ
કલેક્ટર કચેરી બહાર બાજરીના રોટલા બનાવી કર્યો વિરોધ