રાજકોટ:રાજ્ય સરકાર દ્વારા રાજકોટમાં છેલ્લા 2 વર્ષથી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનુ કાર્યક્રમ યોજવામાં આવે છે.ત્યારે આજે 1 દિવસ માટે રાજકોટમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે.
આ કાર્યક્રમ રાજકોટના રેસકોર્ષ મેદાન ખાતે યોજવામાં આવ્યો છે.આ દરમિયાન 14 જેટલા વિદેશી પતંગબાજો અને 45 જેટલા ભારતીય પતંગવિરો રંગબેરંગી અને આકર્ષક આકારની પતંગો હવામાં લહેરાવશે.
ગુજરાત ટુરિઝમના પ્રવાસી અધિકારીના જણાવ્યાનુસાર 35 જેટલા પંતગબાજો વિદેશી છે જેઓ કમ્બોડિયા લેટવિયા કોરિયા ઈસ્ટોનિયા લેબેનોન મલેશિયા નેધરલેન્ડ તુર્કી સિંગાપોર સ્વીઝરલેન્ડ ઈઝરાયેલ બ્રાઝિલ વગેરે દેશોમાંથી આવી રહ્યા છે. આ ઉપરાંત ભારતમાં મહારાષ્ટ્ર કર્ણાટક કેરેલા વેસ્ટ બેંગાલ આસામ વગેરે રાજ્યોમાંથી 20 જેટલા પતંગબાજો ભાગ લીધો છે.
મહોત્સવનું દિપ પ્રાગટય સાંસદ મોહનભાઈ કુંડરિયાના હસ્તે કરવામાં આાવેલ. કાર્યક્રમના અધ્યક્ષસ્થાને મેયર ડો.જૈમન ઉપાધ્યાય રહ્યા હતા. આ મહોત્સવને જુદી-જુદી કૃતિઓ રંગબેરંગી ફૂગ્ગાઓ ગગનમાં ઉડાડી પતંગ પ્રેમીઓ અને બાળકોની ચિચિયારીઓ વચ્ચે ખૂલ્લો મૂકવામાં આવ્યો હતો.
આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી મ્યુનિ.ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી ધારાસભ્યો પૂર્વ ધારાસભ્યો વિપક્ષના નેતા તેમજ બહોળી સંખ્યામાં શહેરીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.
ઉલ્લેખીય છે કે ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા દર વર્ષે પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે રાજકોટ સહિત અમદાવાદ સુરત અને જામનગર જેવા મોટા શહેરોમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરેલ છે. આ મહોત્સવમાં ભાગ લેવા માંટે વિશ્વના કેટલાય દેશોમાંથી પંતગરસિયાઓ પોતાની રંગબેરંગી પતંગ લઇને આવ્યા છે.