ભાવનગરઃ PM મોદી આજે ભાવનગરની મુલાકાતે આવી રહ્યા છે. PM સવારે 10-30 કલાકે ભાવનગર એરપોર્ટ પર પહોંચશે અને ત્યાંથી 11 વાગ્યે ઘોઘા ખાતે જાહેરસભાને સંબોધશે. ત્યારબાદ 12 વાગ્યે રો-રો ફેરી સર્વિસના લોકાર્પણ માટે દહેજ જવા રવાના થશે. PMના આ કાર્યક્રમમાં CM રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને મનસુખ માંડવીયા ઉપસ્થિત રહેશે.
ઉલ્લેખનીય છે કે રો-રો ફેરીના જહાજમાં PM સાથે 50 દિવ્યાંગ બાળકો પણ સામેલ થશે. બપોરે 2 વાગ્યે PM દહેજ પહોંચશે. ત્યાંથી હેલિકોપ્ટર મારફતે 3 વાગ્યે વડોદરા પહોંચશે. વડોદરામાં વિકાસના અનેક પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરશે અને સભાસ્થળથી એરપોર્ટ સુધીનો રોડશો પણ યોજાશે.
ભાવનગરના ઘોધા બંદરેથી તેઓ રો-રો ફેરી સર્વિસના ઉદ્ઘાટન બાદ રો-રો ફેરી દ્વારા જ ભરૂચના દહેજ સુધી જશે. ત્યાંથી પ્રધાનમંત્રી વડોદરા એરપોર્ટ ખાતે પહોંચશે અને વડોદરામાં બે કલાકના રોકાણ દરમિયાન અનેક યોજનાના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે.
જેમાં અનેક મહત્વની યોજના સામેલ છે. વડોદરાથી દિલ્લી જવા માટે તેઓ અંદાજે સાંજે 5 વાગ્યે રવાના થશે.