પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચીનમાં બ્રિક્સ શિખર સંમેલનમાં ભાગ લીધા બાદ મ્યાનમાર પહોંચ્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મ્યાનમારમાં બે દિવસ રોકાશે. પીએમ મોદીની આ મુલાકાત દરમિયાન ભારત અને મ્યાનમાર વચ્ચે મહત્વના કરાર થઈ શકે છે.
મ્યાનમારમાં પીએમ મોદી 3 સ્થળોની મુલાકાત લેશે. અહીં વસતા ભારતીય સમુદાયના લોકો સાથે એક કાર્યક્રમમાં પીએમ મોદી હાજર રહેશે.
PM મોદી મ્યાનમાર જવા રવાના
બે દિવસીય મ્યાનમારની મુલાકાતે
ભારત-મ્યાનમાર વચ્ચે થઈ શકે છે કરાર
PM મોદી લેશે 3 સ્થળોની મુલાકાત
ભારતીય સમુદાયના લોકોને પણ મળશે
ઉલ્લે્ખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને શી જિનપિંગ વચ્ચે દ્વિપક્ષિય મુલાકાત પૂર્ણ થઈ ગઈ છે. વિદેશ મંત્રાલયે આપેલી માહિતી મુજબ ચીન અને ભારત વચ્ચે 1 કલાક સુધી દ્વિપક્ષીય વાતચીત ચાલી. જેમાં બન્ને દેશ વચ્ચે પરસ્પર વિશ્વાસ વધારવા મુદ્દે ચર્ચા થઈ .આ સાથે સરહદ પર શાંતિ જાળવવા મુદ્દે પણ સહમતિ બની છે..વિકાસના મુદ્દાઓને લઈને પણ વાતચીત થઈ છે. બન્ને દેશ વચ્ચે વિકાસ મુદ્દે વાતચીત થઈ