અંજારમાં રહેતા એક યુવાને અગમ્યકારણોસર ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવી લેતા સ્થાનિક વનિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.
મળતી માહિતી મુજબ અંજારમાં યમુના પાર્ક વિસ્તારમાં રહેતા ભરતભાઈ ઠક્કર નામના યુવાને ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું છે. ભરતભાઈ પાણીના પાઉચ વેચવાનો વ્યવસાય કરતા હતા. અપરણિત એવા હતભાગી ભરતભાઈએ કયા કારણોસર ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું તે મુદ્દે હજુ રહસ્ય અકબંધ છે. આ મુદ્દે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.