જામજોધપુરના આસપાસના વિસ્તારમાં ખનીજ ચોરી થતી હોવાની માહિતી મળી આવી છે. માહિતી મળતા ખાણ ખનીજ વિભાગે કાર્યવાહી શરૂ કરી છે.
ખાણ ખનીજ વિભાગે દ્વારકામાંથી ખનન કરી લાઈમ સ્ટોનનુ ગેરકાયદેસર પરીવહન પર દરોડા પાડયા છે. પોલીસે દરોડા પાડીને 28 ટ્રક 750 ટન લાઈમ સ્ટોન સહિત 3 કરોડનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. ખનીજને રાજકોટ જેતપુર ધોરાજી અને કંડોરાણામાં સપ્લાય કરવામાં આવતુ હતુ. ત્યારે હવે પોલીસે આગળની તપાસ શરૂ કરી છે.