ગાંધીનગર:રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે ખેત પેદાશોની ખરીદી કરવામાં આવી રહી છે.પરંતુ તેના સંગ્રહને લઈને કેટલીક સમસ્યાઓ છે.ત્યારે આ મુદ્દે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કેન્દ્રીય કૃષિમંત્રીને પત્ર લખ્યો છે.મુખ્યમંત્રી રૂપાણીએ આ પત્રમાં ખેત પેદાશોના સંગ્રહ માટે વધારે ગોડાઉનની જરૂરિયાત માટે રજૂઆત કરી છે.
મુખ્યમંત્રીએ લખ્યું છે કે સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી કપાસ સહિતની ખેત પેદાશોની ખરીદી કરવામાં આવી રહી છે.પરંતુ તેના સંગ્રહ માટે પુરતા ગોડાઉન નથી.
જેથી કરીને નવા ગોડાઉનો પુરા પાડવામાં આવે.ઉલ્લેખનીય છે કે રાજ્યની સરકાર દ્વારા તાજેતરમાં ખેત પેદાશોની ખરીદી કરવાની જાહેરાત કરી હતી પરંતુ આ ખેતપેદાશોના સંગ્રહને લઇને રાજ્ય સરકાર મુશ્કેલીમા મુકાતા આજ રોજ કેન્દ્રને રજૂઆત કરતો પત્ર લખ્યો હતો.
આપને જણાવી દઇએ કે તાજેતરમાં જ રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકા ખાતે આવેલ મગફળીનું એક ગોડાઉનમાં પડેલ મગફળીનો જથ્થો માટો પ્રમાણમાં સળગી ઉઠતા કરોડોનું નુકસાન પહોંચેલ અને આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પણ પડ્યા હતા.અને આ ઘટના પાછળ કોઇ મોટું ષડયંત્ર હોવાની ગંધ આવી હતી.જેને પગલે રાજ્યની સરકાર દ્વારા કડક તપાસના આદેશો આપ્યા હતા.