ડાકોર રણછોડજી મંદિરમાં નવી જ વિવાદિત રીતે નિમણુક પામેલ મંદિરના મેનેજર વધુ એક વિવાદમાં ફસાયા છે. મંદિરમાં સેવા પૂજા કરતા એક વારાદારી સેવકને મંદિરમાં પ્રવેશ કરતા અટકાવીને ધમકી આપતા મનસ્વી નિર્ણય લેવાના આદિ મેનેજર વિરૂધ્ધ સેવક દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. પોલીસે ફરિયાદના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.