મહેસાણામાં ભાજપ પ્રેરિત પાટીદાર સમિતિની યોજાનાર બાઇક રેલીનો વિરોધ કરાયો છે. પાસ કન્વીનર નરેન્દ્ર પટેલે રેલીને લઇને નિવેદન આપ્યું છે.
જે પાટીદારો રેલીમાં જોડાશેતેનો સમાજ બહિષ્કાર કરશે. અને પાટીદાર ઉપર થયેલા દમનનો ભાજપ જવાબ આપે.18 નવેમ્બરે ભાજપના સમર્થનમાં રેલી યોજવાની જાહેરાત કરાઇ છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભાની ચુંટણી નજીક આવી રહી છે ત્યારે ભાજપ દ્વારા વિવિધ પ્રકારે મતદારોને રિઝવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે વિવિધ સ્થળો પર બાઇક રેલી અને સભાનું પણ આયોજન કરવામાં આવી રહ્યુ છે.
ગુજરાત ભાજપ દ્વારા પાટીદારોને રીઝવવામાંટે મહેસાણા ખાતે પાટીદાર સમિતીની રેલીનું આગામી 18 નવેમ્બરના રોજ આયોજન કરવામાં આવેલ છે.
જેમાં પાટીદારો પણ જોડાવાના હોવાથી પાસના કન્વીનર નરેન્દ્ર પટેલે મીડીયા સાથેની વાતચીત દરમિયાન જણાવ્યુ હતુ કે જે પાટીદાર આ રેલીમાં જોડાશે તેનો સમાજમાંથી બહિષ્કાર કરવામા આવશે.