ભાજપ દ્વારા આગામી વિધાનસભાની ચૂંટણી માટે 70 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. જેમા 49 ઉમેદવારોને રિપિટ કરવામાં આવ્યા છે. ત્યારે હવે વડોદરાની વાઘોડિયા બેઠક પર મધુ શ્રી વાસ્તવનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.
મધુ શ્રી વાસ્તવને ભાજપ ફરી થી રિપિટ ન કરે તેવી માંગ કરવામાં આવી રહી છે જેના પગલે આજે ભાજપ કાર્યાલય ખાતે સ્થાનિકો અને કાર્યકર્તાઓ દ્વારા મળીને વિરોધ કરવામાં આવ્યો અને આક્ષેપ કરવામાં આવ્યા છે કે મધુ શ્રી વાસ્તવ દ્વારા આ વિસ્તારમાં કોઈ કાર્યો કરવામાં આવ્યા નથી. અને તેઓ સંગઠનને સાથે મળીને કાર્ય કરતા નથી.
મહત્વનુ છે કે વડોદરાની પાદરા બેઠક પરથી ધારાસભ્યને રિપિચ કરવામાં આવતા પંચાયતના નેતા કમલેશ પરમાર સહિત 100 થી વધુ કાર્યકર્તાઓએ રાજીનામા આપ્યા હતા. ત્યારે હવે આગામી વિધાનસભાની ચૂંટણીમાં મધુ શ્રી વાસ્તવને રિપિટ કરવામાં આવશે તો પાર્ટીને નુકશાન પણ થઈ શકે છે. જેથી આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ દ્વારા મધુ શ્રી વાસ્તવને રિપિટ ન કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.