ભગવાન જગન્નાથ ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજી મામાના ઘરેથી નીજ મંદિર પરત ફર્યા છે. ભગવાનની હવે પરંપરાગત રીતે નેત્રોત્સવ વિધી કરવામાં આવશે. તેમજ ધ્વજા રોહણની વિધી પણ કરાશે. જેનો લ્હાવો લેવા માટે મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડશે. નેત્રોત્સવ અને ધ્વજા રોહણની વિધી બાદ હવે ભક્તો રાહ જોઈ રહ્યા છે અષાઢી બીજની. અષાઢી બીજે જગન્નાથ ખુદ રથમાં સવાર થઈને ભક્તોને દર્શન આપવા માટે નગરચર્યાએ નીકળશે.
બીજીબાજુ અમદાવાદની રથયાત્રાની સુરક્ષાને લઇને આજે રિહર્સલ યોજાશે. રથયાત્રા પર આતંકી હુમલાની દહેશતના ગુપ્તચર એજન્સીના એલર્ટ બાદ સુરક્ષા વ્યવસ્થાથી લઇને તમામ બાબતનું નિરિક્ષણ કરવામાં આવશે. વાત રથયાત્રાના સુરક્ષા ચક્રની કરીએ તો NSG કમાન્ડો SRP સહિત 21 હજાર પોલીસ જવાનો ખડેપગે રહેશે. તો 125થી વધુ CCTV દ્વારા બાજ નજર રખાશે. જયારે ડ્રોન કેમેરા દ્વારા પણ વોચ રાખવામાં આવશે.