અમદાવાદમાં આજે અખીલ ભારતીય કોળી સમાજની બેઠક મળશે.જેમાં પુરુષોત્તમ સોલંકી અને કુંવરજી બાવળીયા બેઠકમાં હાજર રહી શકે છે.
અમદાવાદ સર્કિટ હાઉસ ખાતે મળનારી કોળી સમાજની બેઠકમાં સમાજને રાજકીય રીતે થતા અન્યાય મુદ્દે આ ચર્ચા વિચારણા કરવામાં આવશે.સાથે જ રાજકારણમાં સમાજનું પ્રભુત્વ જાળવવાના એજન્ડા પણ નક્કિ કરાશે.મહત્વનું છે કે આ બેઠકમાં 17 રાજ્યના કોળી સમાજના પ્રમુખો ઉપસ્થિત રહેશે.
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ દ્વારા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીને બનાવવામાં આવ્યા છે.ત્યારે હવે કોળી સમાજના લોકોમાં રોષ જોવા મળ્યો હતો.મહત્વનુ છે કે કોળી સમાજના આગેવાનોએ કુંવરજી બાવળીયાને સમર્થન આપ્યુ હતુ.કુંવરજીને વિરોધ પક્ષના નેતા બનાવવામાં આવે તે માટે રજૂઆત કરી હતી.
ત્યારે હવે આ મામલે કોળી સમાજના પ્રમુખ ચંદ્રવદન પીઠાવાલા દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે કે કોળી સમાજના આગેવાનો દ્વારા આજે એક ખાસ મિટિંગ કરવામાં આવશે અને આગળની રણનીતિ વિશે ચર્ચા કરવામાં આવશે.જેમા વિવિધ 17 રાજ્યોમાંથી કોળી સમાજના આગેવાનો ખાસ ઉપસ્થિત રહેવાના છે.