લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કા પહેલા બહુજન સમાજ પાર્ટી પ્રમુખ માયાવતીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા છે. માયાવતીએ આરોપ લગાવ્યો છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોજી જન્મથી પછાત નથી, બસ રાજકીય ફાયદા માટે આવું કરી રહ્યા છે. લોકસભા ચૂંટણીના પહેલા તબક્કાથી જ માયાવતી અને નરેન્દ્ર મોદની વચ્ચે જાતિ ટિપ્પણીને લઇને વિવાદ ચાલી રહ્યો છે.
બસપા સુપ્રીમોએ કહ્યું કે જાતિવાદના અભિશાપથી પીડિત લોકો કેવી રીતે એમનો સામનો કરે છે, એની જાણ થવી જોઇએ, એમને કહ્યું કે નરેન્દ્ર મોદીથી OBC નથી, આ વાતને સમગ્ર દેશ જાણે છે.
માયાવતીએ આરોપ લગાવ્યો કે જાતિવાદનો દંશ શું હોય છે, એમને નથી ખબર કારણ કે એમને ક્યારેય એનો સામનો કર્યો નથી. પ્રધાનમંત્રી તરફથી મહાગઠબંધનને લઇને સતત કરવામાં આવેલી નિવેદનહાજી પર માયાવતીએ કહ્યું કે ગઠબંધન માટે પીએમએ આ પ્રકારની ખોટી વાતો કરવી જોઇએ નહીં.
એમને કહ્યું કે ગઠબંધન જાતિના નામ પર વોટ લઇ રહ્યું નથી, પરંતુ ભાજપ વાળા આ પ્રકારના ખોટા પ્રચાર કરી રહી છે. આ ચૂંટણી ફાયદા માટે જબરદસ્તી પછાત બનાવી રહી છે, એનો ઉપયોગ માત્રને માત્ર સ્વાર્થ માટે થઇ રહ્યો છે.
બસપા પ્રમુખે દાવો કર્યો છે કે આ વખત ઉત્તર પ્રદેશમાં મહાગઠબંધનને સૌથી વધારે સીટો મળવા જઇ રહી છે. એની સાથે જ એમને કહ્યું કે નરેન્દ્ર મોજી હારવા જઇ રહી છે, એ નિશ્વિત થઇ ગયું છે.